Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ઓકટોબરમાં બંધ થઇ જશે 'યે હૈ મહોબ્બતે'

એકતા કપૂરનો ખુબ લોકપ્રિય શો યે હૈ મહોબ્બતે જોરશોરથી લોન્ચ થયો હતો. લાંબા સમય સુધી આ શો ટીઆરપીની સ્પર્ધામાં ટોચ પર રહ્યો હતો. આ શોના મુખ્ય પાત્રો રમણ (કરણ પટેલ) અને ઇશિતા (દિવ્યાંકા ત્રિપાઠી)ને પણ દર્શકોનો ભરપુર પ્રેમ મળ્યો છે. આ શો હવે ઓકટોબરમાં પુરો કરી દેવામાં આવશે તેવી ચર્ચા શરૂ થઇ છે. નિર્માતા આ શોકના અંતિમ એપિસોડનું શુટીંગ કરવા તૈયારી કરી રહ્યા છે. કહેવાય છે કે ફિનાલે એપિસોડ ખુબ મોટા પાયે રજૂ થશે. જેનું શુટીંગ વિદેશમાં કરવામાં આવશે. શો ઓફએર કરવાનું કારણ એ પણ છે કે હવે આ શો ટીઆરપીની રેસમાંથી બહાર થઇ ગયો છે. યે હૈ મહોબ્બતેના હાલમાં ૧૫૦૦ એપિસોડ પુરા કરી લીધા છે. અગાઉ પણ આ શો બંધ થઇ રહ્યાની વાતો સામે આવી હતી. જો કે હજુ સત્તાવાર નક્કી થયું નથી.

 

(9:13 am IST)