Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

પંજાબી ગાયક ગુરવીન્દરની પત્નીએ ફાસો ખાધો

મુંબઈ: પ્રખ્યાત નાટકકાર અજમેર સિંહ ઓલખની પુત્રી અને પંજાબી ગાયક ગુરવીન્દ્ર બરાડની પત્ની સોહજ પ્રીતે પોતાના ઘરમાં જ ફાસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પંજાબના ભટિંડા ખાતે આવેલ ઘરમાં સોહજે સુસાઇટ કર્યું છે.  હજુ સુધી મોતનું સાચું કારણ જાણવા નથી મળ્યું પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જો કે પરિવારજનોનું કહેવું છે કે પિતાના અવસાન પછી સોહજ દુઃખી હતી.પિતાનું ગયા વર્ષે અવસાન થયું હતું. સોહજના 17 વર્ષના પુત્રએ માતાને પહેલા લટકતી જોઈ હતી. ટીન જોઈને બમ પડતા પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા.

(5:51 pm IST)