Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રૂષિના કંધારીને ગમે છે પ્રકૃતિ સાથે વધુ સમય વિતાવવાનું

અભિનેત્રી રૂષીના કંધારી પોતાની જાતને પ્રકૃતિની બેટી તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે. દંગલના શો એ મેરે હમસફરમાં કામ કરી રહેલી રૂષીના પોતાને જ્યારે પણ સમય મળે ત્યારે એ સમયનો ઉપયોગ પ્રકૃતિની ગોદમાં રહીને વિતાવે છે. આમ કરવાથી તે પોતાની જાતની વધુ નજીક રહી શકે છે અને શાંતિ મેળવી શકે છે. તાજેતરમાં રૂષિના એક દિવસની રજા મળતા઼ જ પોતાની માતાને સાથે લઇને એક યોટ બૂક કરાવી અરબ સાગરની વચ્ચોવચ્ચે પહોંચી ગઇ હતી. તેના કહેવા મુજબ એ જગ્યા અત્યંત સુંદર અને શાંત હતી. ત્યાં તેને ડોલ્ફીન પણ જોવા મળી હતી. રૂષિના કહે છે હું નાનામા નાની રજાનો પણ ખુબ સાર ઉપયોગ કરી લઉ છું. કારણ કે મને ખબર છે કે એક સમય વિતી જતો સમય પછી કયારેય પાછો આવતો નથી. રૂષિનાનો શો સોમવારથી શુક્રવાર સાંજે સાત અને રાતે દસ વાગ્યે દંગલ પર પ્રસારીત થાય છે.

(9:58 am IST)