Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ફરી એકવાર અનુરાગ કશ્યપ નવાજુદ્દીન સાથે કરશે કામ

મુંબઇ: નવાઝુદ્દીની સિદ્દીકીની આગામી ફિલ્મમાં અનુરાગ કશ્યપ પણકામ કરવાનો છે. આ ફિલ્મમાં પહેલા અભિનેત્રી તરીકે મોની રોયને પસંદ કરવામાં આવી હતી. પરંતુ તેના નખરાં વધવાને કારણે તેને આ ફિલ્મમાંથી પડતી મુકવામાં આવી છે. હવે તેના સ્થાને નવી અભિનેત્રીની શોધ ચાલી રહી છે. '' મને નવાઝુદ્દીન પર પૂરો ભરોસો હોવાથી આ ફિલ્મમાં  હું કામ કરવા રાજી થયો છું. આવું પહેલી વાર બન્યું છે કે જ્યારે નવાઝે મને કાંઇક કરવા માટે કહ્યું છે. આનાથી વધારે હું કાંઇ જાણતો નથી. ફિલ્મ વિશે પણ મને પુરી માહિતી નથી. '' તેમ અનુરાગે પોતે કામ કરવાની વાતને સમર્થન આપ્યુ ંહતું.નવાઝુદ્દીનની ફિલ્મ તેના ભાઇ શમાસ સિદ્દીકી ડિરેકટ કરવાનો છે. શમાસ આ ફિલ્મ દ્વારા દિગ્દર્શનમાં ડેબ્યુ કરી રહ્યો છે. અનુરાગન વાત કરીએ તો તેના અનુસાર તેણે 'ગેન્ગસ ઓફ વસેપુર બનાવી ત્યારથી તેને સાડાસાતી સતાવીરહી છે. તેને આશા છે કે ૨૦૧૯માં તે આ પનોતીમાંથી છૂટકારો મેળવી શકશે.

(4:55 pm IST)