Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

રણબીર કપૂર સાથેના બ્રેકઅપ પછી કેટરીના કૈફે પહેલી વખત જાહેરમાં નિવેદન આપ્યુ

મુંબઈ : બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કેટરિના કૈફ પોતાના સંબંધો કરતા વધારે બ્રેકઅપને કારણે ચર્ચામાં રહે છે. વર્ષો પહેલાં જ્યારે તેના સંબંધો સલમાન ખાતે તુટ્યા હતા ત્યારે જેટલી ચર્ચા થઈ હતી એટલી ચર્ચા તેના અને રણબીરના બ્રેકઅપ પછી થઈ છે. સલમાન સાથેના બ્રેકઅપ પછી રણબીર અને કેટરિનાની રિલેશનશીપ શરૂ થઈ પણ સંબંધ ખાસ આગળ વધી શક્યો નહોતો. બ્રેકઅપ પછી રણબીર કે કેટરિના કોઈએ કારણોની સ્પષ્ટતા નહોતી કરી પણ હવે કેટરિનાએ પહેલીવાર વિશે જાહેરમાં નિવેદન આપ્યું છે.

કેટરિનાએ હાલમાં મીડિયા સાથે રણબીર સાથેના બ્રેકઅપ વિશે ચર્ચા કરી છે. તેણે કહ્યું છે કે ''આગળ વધવા માટે ભુતકાળને ભુલવો પડે છે. અમારા વચ્ચે જે કંઈ પણ થયું એમાં હું મારી ભુલની જવાબદારી લઈ શકું છું અને હું મારા તરફથી કઈ ભુલને અટકાવી શકતી હતી એની ચર્ચા કરી શકું છું. જોકે બીજા વ્યક્તિની જવાબદારી હું લઈ શકું. હું જ્યારે મારા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મારી માતાએ કહ્યું હતું કે જે મારી સાથે થઈ રહ્યું છે એવા અનુભવમાંથી દુનિયાની લાખો છોકરીઓ પસાર થઈ રહી છે. મામલામાં હું એકલી નથી. આના પછી મારા દિલને થોડી રાહત મળી અને હું મારા જીવનમાં આગળ વધવા લાગી.''

બ્રેકઅપ પછી અંગત જીવનમાં આવેલા બદલાવ વિશે વાત કરતા કેટરિનાએ કહ્યું છેકે હું એક ઇમોશનલ વ્યક્તિ છું અને વાત બદલાવાની નથીજોકે હું શીખી છું કે એક મહિલા તરીકે તમને તમારી જાતને સુરક્ષિત રાખતા આવડવું જોઈએ. કેટરિના વર્ષે ઇદ પર સલમાન સાથે ફિલ્મ ભારતમાં જોવા મળશે.

(4:48 pm IST)