Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

30 માર્ચમાં બદલે હવે 29 જૂને રિલીઝ થશે સંજય દત્તની બાયોપિક

મુંબઈ:રણબીર કપૂરને સંજય દત્તની ભૂમિકામાં જોવા માંગતા દર્શકોએ રાહ જોવી પડશે. રાજકુમાર હિરાણી દિગ્દર્શિત સંજય દત્તની બાયોપિકની રીલિઝ કામ બાકી હોવાને કારણે પાછી ઠેલવામાં આવી છે. ૩૦મી  માર્ચે રિલીઝ થનારી ફિલ્મ હવે થિયેટરોમાં ૨૯મી જૂને આવશે. એવું સંભળાય છે કે સમાચાર મળતા સાજિદ નડિયાદવાલાએ સ્લોટ પોતાની ફિલ્મ માટે લઈ લીધો છે. એની બાગી- ટુ હવે ૩૦મી માર્ચના રીલિઝ કરશે. ફિલ્મનો હીરો ટાઈગર શ્રોફ છે. સંજય દત્તની બાયોપિકનું કામ હજી બાકી છે. જેને પરિણામે એની રિલિઝ પાછી ઠેલવી પડી છે. રાજકુમાર હિરાણી પર્ફેકશનિસ્ટ મનાય છે. અત્યાર સુધી બાયોપીકના જે ફૂટેજ મળયા છે હિરાણીને ગમ્યા નથી. આથી અમુક દ્રશ્યોનું શૂટીંગ ફરી પાછુ કરવા માંગે છે. સંજય દત્તની વિવાદાસ્પદ જીવનમાંથી કયા પ્રકરણો લેવા અને શેનો સમાવેશ કરવો વિશે પણ હજી અંતિમ નિર્ણય નથી લેવાયો.

 

 

(5:01 pm IST)