Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

રણવીર સિંહ સાથે વધુ એક ફિલ્મ કરશે આદિત્ય ચોપડા

રણવીર સિંહ કોઇપણ રોલ કરે છે તેમાં જીવ રેડી દે છે. રણવીરની પદ્માવત રિલીઝ થઇ ચુકી છે અને તેમાં તેના અભિનયના ખુબ વખાણ થયા છે. રણવીરસિંહ એનર્જેટિક હીરો તરીકે ઓળખાય છે. આદિત્ય ચોપડાએ તેને લઇને અગાઉ બેફિક્રે બનાવી હતી. જો કે ફિલ્મ ખાસ ચાલી નહોતી. આમ છતાં આદિત્ય ચોપડા રણવીરસિંહને લઇને બીજી ફિલ્મ બનાવશે. આ ફિલ્મનું કામ ૨૦૧૯માં શરૂ થશે. બેફિક્રેમાં રણવીરસિંહ સાથે વાણી કપૂરની જોડી હતી. રણવીરે અગાઉ યશરાજ બેનરની ફિલ્મ બેંડ બાજા બારાત કરી હતી. જેમાં અનુષ્કા શર્મા તેની હિરોઇન હતી. આદિત્યએ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, મોહબ્બતે અને રબ ને બના દી જોડી જેવી સુપરહિટ લવસ્ટોરીઓ આપી છે. રણવીર સાથે તે ફરીથી કામ કરશે.

(9:44 am IST)