Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

લગ્ન બાદ હનીમુનમાં પતિ સંજયે મિત્રો સાથે સુવા માટે મજબુર કરી હતીઃ સંજય લગ્ન બાદ પણ પહેલી પત્‍ની સાથે રિલેશનમાં હતોઃ સાસુ પણ માર મારતા હતાઃ કરિશ્‍મા કપૂરે રહસ્‍ય ખોલ્‍યુ

નવી દિલ્હી: કરિશ્મા કપૂરનું નામ બોલીવુડમાં એ અભિનેત્રીઓમાં આવે છે કે જણે એક લાંબા સમય સુધી સિલ્વર સ્ક્રિન પર રાજ કર્યું. 90ના દાયકાની સૌથી સફળ અભિનેત્રીઓમાંથી એક હતી. એકથી એક સફળ ફિલ્મો કરિશ્મા કપૂરે આપેલી છે. કરિશ્માએ પોતાના જીવનમાં જેટલી સફળતા મેળવી છે તેટલી જ તે પોતાની પર્સનલ લાઈફમાં નિષ્ફળ રહી છે.

મુંબઈથી દિલ્હી શિફ્ટ થઈ કરિશ્મા

એવું કહેવાય છે કે કરિશ્માને બે વાર પ્રેમમાં દગો મળ્યો. ત્યારબાદ તેણે સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. સંજયના પણ  અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા. પહેલી પત્ની પાસેથી તલાક લીધા બાદ તેણે કરિશ્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કરિશ્મા દિલ્હીમાં સંજય સાથે રહેતી હતી. આ  લગ્નએ કરિશ્માના જીવનમાં ઘણો ફેરફાર લાવી દીધો.

2016માં થયા હતા કરિશ્માના તલાક

લગ્ન જીવનમાં રોજેરોજની કચકચ કરિશ્મા સહન કરી શકી નહી અને 2016માં તેના લગ્ન તૂટી ગયા. બંનેના લગ્ન ફક્ત 13 વર્ષ ચાલ્યા. કહેવાય છે કે વર્ષ 2012થી જ કરિશ્મા પતિ કરતા અલગ રહેતી હતી. સંજય સાથેના લગ્નએ કરિશ્માને ખુબ હેરાન કરી નાખી. આ લગ્ન સાથે જોડાયેલી કરિશ્માની સૌથી ખરાબ યાદ હનીમૂન પર થયેલી તેની હરાજી છે.

હનીમૂન પર કરિશ્મા સાથે થયું હતું ખુબ ખરાબ

એક ઈન્ટરવ્યુમાં કરિશ્માએ પોતાના લગ્ન સંબંધિત ખુબ જ ગંદા સત્યનો દુનિયાને સામનો કરાવ્યો હતો. કરિશ્માના જણાવ્યાં મુજબ તેના જીવનમાં સંજયના ટોર્ચરની શરૂઆત લગ્ન બાદ તરત થઈ હતી. કરિશ્મા તેના પતિ સંજય સાથે હનીમૂન પર ગઈ હતી. કરિશ્માએ જણાવ્યું કે પતિ સંજયે તેને મિત્રો સાથે સૂવા માટે મજબૂર કરી હતી.

કરિશ્માને મારતી હતી સાસુ

એટલું જ નહીં કરિશ્માએ એવો પણ ખુલાસો કર્યો હતો કે ફક્ત સંજય જ નહીં પરંતુ તેની માતા પણ તેની પીટાઈ કરતી હતી. લગ્ન જીવનમાં અનેકવાર તે મારપીટનો ભોગ બની હતી. કરિશ્મા સાથે લગ્ન કર્યા બાદ પણ સંજય તેની પહેલી પત્ની સાથે રિલેશનમા ંહતો અને બંને લિવ ઈનમાં રહેતા હતા.

રણધીર કપૂરે સંજય કપૂરને કહ્યો હતો થર્ડ ક્લાસ

કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂરે પણ સંજય કપૂરને થર્ડ ક્લાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તે ફક્ત નશા અને ઐય્યાશીમાં ડૂબેલો રહેતો હતો.

બાળકો માટે કરિશ્માએ ઉઠાવ્યું આ પગલું

સંજયક પૂર સાથે તલાક લીધા બાદ કરિશ્મા તેના બાળકોનો ઉછેર એકલા હાથે કરી રહી છે. તે તેના બંને બાળકોનો ખુબ  ખ્યાલ રાખે છે. બાળકો માટે થઈને હવે કરિશ્મા અને સંજયે પણ પોતાની પરસ્પરની કડવાહટ ભૂલી જઈને સંબંધો સામાન્ય કરી લીધા છે.

તલાક બાદ સંજયે કર્યા ત્રીજા લગ્ન

કરિશ્મા અનેકવાર બાળકો અને એક્સ હસબન્ડ સાથે જોવા મળી છે. હાલ સંજય કપૂરે ત્રીજા લગ્ન કરી લીધા છે. પ્રિયા  સચદેવ તેમની ત્રીજી પત્ની છે.

(5:12 pm IST)