Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

શું નાયરાનું મોત થશે ?

સિરીયલ 'યે રીશ્તા કયા કહેલાતા હૈ' માં આવશે ટવીસ્ટ !

મુંબઇઃ સ્ટાર પ્લસની સુપરહિટ સીરીયલ 'યે રીશ્તા કહેલાતા હૈ' માં  દર્શકોને મોટો ઝાટકો લાગશે. નાયરાનું થશે મોત ?  હવે દર્શકોને જોવા મળશે મોટો ટવીસ્ટ તેનો અણસાર આવી ગયો હોય તેવુ લાગે છે. શોના લીડ કેરેકટર કાર્તિક એટલે કે મોહસીન ખાનને મોટો ઝાટકો મળવાનો છે. શોમાં નાયરાનું મૃત્યુ થવાનું છે.

 

શો મેકર્સ દ્વારા એક પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમો વિડીયો કાર્તીકને નાયરાને યાદ કરતા બતાવવામાં આવ્યો છે. સફેદ વસ્ત્રોમાં કાર્તિક નાયરાનું મૃત્યુ બાદ અંતિમક્રિયા કરી રહયો છે. સ્ટાર પ્લસ અધિકારી કેપ્શન લખ્યુ કાર્તિકના જીવન સૌથી મુશ્કેલ અલવિદા! શું તે નાયરાથી જુદો થઇને રહી શકશે.

નાયરા એટલે શિવાંગી જોષી તે બીજા કોઇ રૂપમાં ફરી લાવવામાં આવશે. કાર્તિક અને નાયરા વચ્ચે ટેન્શન ચાલી રહયું છે. ડો. રીધ્ધીના પાત્ર વચ્ચે અંતર ઉભુ કરી દીધુ છે. આ સીરીયલ ૨૦૦૯થી સ્ટાર પ્લસ ઉપર રજુ થઇ રહી છે. આ સીરીયલને ૧૧ વર્ષ ઉપર થઇ ગયું છે. અક્ષરા અને નૈતીક કે નાયરા માતા-પિતા મુખ્ય પાત્ર હતુ. અક્ષરાનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતુ. હીનાખાન શો દોડીને બીગબોસ શોમાં જોવા મળી હતી.

(2:54 pm IST)