Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

કોણે વિચાર્યુ હશે કે તેના આ બ્રાઇટ હાસ્ય પાછળ એ પરેશાન મગજ પણ હશેઃ એક્ટર કુશલ પંજાબીના આકસ્મિક નિધનથી અભિનેતા રોહિત રોય આઘાતમાં

મુંબઈ: એક્ટર કુશલ પંજાબીના આકસ્મિક નિધનથી બધા આઘાતમાં છે. કુશલના મિત્રો પણ તેના મોતથી ખુબ દુ:ખી છે અને કુશલ તેમની વચ્ચે નથી તે હજુ પણ સ્વીકારી શકતા નથી. અભિનેતા રોહિત રોય પણ આઘાતમાં સરી પડ્યો છે. રોહિતે સોશિયલ મીડિયા પર કપરા સમયે કુશલની સાથે ન હોવા બદલ માફી પણ માંગી છે.

રોહિતે એક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું કે "કોણે વિચાર્યું હશે કે તેના આ બ્રાઈટ હાસ્ય પાછળ એ પરેશાન મગજ પણ હશે. જ્યારે તને અમારી સૌથી વધુ જરૂર હતી ત્યારે જ અમે તારી સાથે નહતા. તે બદલ સોરી કુશલ. રેસ્ટ ઈન પીસ માય બ્રધર, હું હજુ પણ આઘાતમાં છું. તે જે દર્દ ફીલ કર્યું અને જેના કારણે તે આ બધુ કર્યું તે દર્દ હું ન સમજી શકુ #kushalpunjab."

આગળ રોહિતે મેન્ટલ હેલ્થ વિશે પણ લખ્યું. રોહિતે પોસ્ટમાં લખ્યું કે "માનસિક બીમારીને લઈને શરમિંદા ન થવું જોઈએ. છૂપાવવું ન જોઈએ. તમારા નીકટના લોકો સાથે વાત કરો. મને વિશ્વાસ છે કે તેનાથી મદદ મળશે. ભલે તમને એવું લાગતું હોય કે કોઈ વ્યક્તિ બીઝી છે, તો પણ પહોંચો, તે સમય આપશે, માનવતા હજુ પણ મરી પરવારી નથી."

અત્રે જણાવવાનું કે કુશલ પંજાબીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ પંખે લટકેલો જોવા મળ્યો. કુશલના મોત પર અભિનેતા અક્ષયકુમાર અને જ્હોન અબ્રાહમે પણ દુ:ખ વ્યક્ત કર્યું. જ્હોને કહ્યું કે "મારું દિલ તૂટી ગયું છે. ભગવાન તમારા આત્માને શાંતિ આપે કુશલ".

(5:15 pm IST)