Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

'એક વિલેન'ની સિક્વલમાં અર્જુન કપૂરનો નેગેટિવ રોલ

મુંબઈ: સિદ્ધાર્થ મલ્હોત્રાની ૨૦૧૪માં રીલિઝ થયેલી ફિલ્મ 'એક વિલેન ની સિકવલની તૈયારી થઇ રહી હોવાની ચર્ચા છે. મોહિત સુરીના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મની સિકવલમાં અર્જુન કપૂર નકારાત્મક પાત્રમાં જોવા મળશે, જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્યઅભિનેતા તરીકે હશે. જોકે આ બાબતે હજી કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સૂત્રની વાત સાચી માનીએ તો, ફિલ્મના નિર્માતાએ સિદ્ધાર્થ અને અર્જુન બન્ને સાથે મુલાકાત કરી છે. આ ફિલ્મના મુખ્ય અભિનેતા  માટે સિદ્ધાર્થનો સંપર્ક કરવામાં આવ્યો છે. જ્યારે અર્જુન કપૂર નેગેટિવ પાત્રમાટે હોય તેવી શક્યતા છે. જોકે હજી કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. બન્ને એકટરોએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે. જોકે હજી વાતચીત જ ચાલી રહી છે, તેમજ કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. જોકે પહેલા એવી અફવા હતી કે, 'એક વિલેનની સિકવલમાંથી સિદ્ધાર્થ મલ્હોત્રા નીકળી ગયો છે. તેથી તેના સ્થાને અર્જુન કપૂરને લેવામાં આવશે.

(5:18 pm IST)