Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

આ ટીવી અભિનેતાના લવ મેરેજ ના ટક્યા: 3 વર્ષના લગ્ન જીવનનો આવ્યો અંત

મુંબઈ: ટીવીના મશહૂર અભિનેતા અવિનાશ સચદેવે શાલ્મલિ દેસાઈ સાથે 2015માં લગ્ન કર્યા હતા લગ્નજીવનનો અંત આવી ગયો. અવિનાશે પત્ની શાલ્મલિને તલાક આપી દીધાની માહિતી મળી રહી છે. પત્ની શાલ્મલિને હમેશાથી લાગતું કે અવિનાશના બીજી યુવતી સાથે લફરું છે. જેને લઈને બને વચ્ચે અણબનાવ ચાલતો હતો જેનો આખરે અંત આવી ગયો છે. બન્ને ના પરિવારજનોએ તેમના લગ્નને બચાવવાની બહુ કોશિશ કરી પણ બન્ને વચ્ચે કઈ થયું નહીં અને બન્નેએ જુદા થવાનો નિર્ણય લઇ લીધો

(5:18 pm IST)