Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

સંજૂ ફિલ્મના નિર્માતાઓને અબુ સાલેમે શા માટે આપી કાનૂની નોટિસ ? : જાણો કારણ

મુંબઈ :બોલીવુડના અભિનેતા સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ સંજૂના નિર્માતાઓ સામે અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અબુ સાલેમે ફિલ્મના નિર્માતાઓને કાયદાકીય નોટિસ મોકલી છે. જેમાં આરોપ લગાવ્યો છે કે ફિલ્મમા તેની સામે ખોટી હકીકતો બતાવવામાં આવી છે. કાનૂની નોટિસમાં કહ્યુ છે કે જો ફિલ્મમાંથી વિવાદિત સીનને 15 દિવસમાં હટાવી દેવામાં નહિ આવે તો તે માનહાનિનો કેસ કરશે.

(1:28 pm IST)