Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

કરણ જોહરની પિરિયડ ડ્રામા ફિલ્મ કરવાની રણવીર સિંહે હા પાડી

મુંબઈ: જાણીતા નિર્દેશક કરણ જોહરે પોતાની આગામી ફિલ્મ સિમ્બામાં અભિનેતા રણવીરસિંહને કાસ્ટ કર્યો છે. આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન નજરે પડનાર છે, જે તેની આ ડેબ્યુ ફિલ્મ હશે. દર્શક આ ફિલ્મની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે અભિનેતા રણવીરસિંહ અને કરણ જોહર વધુ એક ફિલ્મમાં સાથે કામ કરતા નજરે પડશે. માનવામાં આવી રહ્યુ છે કે કરણ જોહર એક પીરીયડ ડ્રામા ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે જે માટે તેમણે રણવીરસિંહને કાસ્ટ કર્યો છે. 
ફિલ્મમાં રણવીરસિંહ મુખ્ય અભિનેતા તરીકે નજરે પડશે. કરણ પીરિયડ ફિલ્મ બનાવવા અંગે વિચાર કરી રહ્યા છે અને પીરિયડ ડ્રામા ફિલ્મોમાં રણવીરસિંહના અભિનયને લઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલા છે, જેથી તેમણે પોતાની ફિલ્મમાં રણવીરને કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. ટૂંકમાં જ આ પ્રોજેક્ટ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થયુ કે આ ફિલ્મ કોના પર આધારીત હશે અને ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોણ નજરે પડશે. 

 

(4:46 pm IST)