Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ચીલાચાલુ ઠાકુની કહાની નથી ફિલ્મ 'શમશેરા': રણબીર કપૂર

મુંબઇ: અભિનેતા રણબીર કપૂરે કહ્યંહતું કે મારી આગામી ફિલ્મ શમશેરા ચીલાચાલુ ડાકુ ફિલ્મ નથી. અલગ પ્રકારની કથા ધરાવતી ફિલ્મ છે. '૧૮મી સદીમાં પોતાના પરિવારને થયેલા અન્યાયના પગલે પોતાના અધિકાર માટે રાજ્ય સામે લડતા એટલે કે બહારવટે ચડતા પાત્રની કથા છે. બ્રિટિશ સલ્તનત સામે પોતાના અધિકાર માટે લડતા અને સ્વતંત્રતા ઇચ્છતા મર્દની કથા છે. એક એવા મર્દની સત્યઘટના પર આધારિત કથા છે' એેમ રણબીર કપૂરે કહ્યંુ હતું. હાલ રણબીરની ફિલ્મ સંજુ શુક્રવારે ૨૯ જૂને રજૂ થવાની છે જેમાં એણે સંજય દત્તના જીવનના વિવિધ તબક્કાને પોતાના આગવા અભિનય દ્વારા જીવંત કર્યા છે. સાથોસાથ કરણ જોહરની સુપરનેચરલ પાવર્સ ધરાવતા પાત્રને રજૂ કરતી ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરી રહ્યો છે જેમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ એની સાથે ચમકી રહ્યાં છે. રણબીરે કહ્યું કે અત્યાર અગાઉ મંે કરેલી ફિલ્મો કરતાં ફિલ્મ અલગ પ્રકારની છે અને અત્યાર પહેલાં કરેલાં પાત્રો કરતાં હવે હું જુદા પ્રકારના પાત્ર કરવા જઇ રહ્યો છું.

(4:43 pm IST)