Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

વિશાલ ભારદ્વાજની 'તલવાર-2'આ સત્ય ઘટના પર આધારિત હશે

મુંબઈ: ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજ 'તલવાર'ની સિક્વલ બનાવવા જય રહ્યા છે આ ફિલ્મની કહાની ગુડગામની એક સ્કૂલમાં રહસ્યમય પરિસ્થિતિમાં મોતને ભેટેલા સાત વર્ષીય બાળક પર હશે. આ કહાની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મની પટકથા લખવામાં આવી રહી છે. આ ફિલ્મ વિશે વિશાલે કહ્યું કે અમે તલવાર બનાવી જેમાં ખુબ પ્રશંસા મળી હવે એવી જ એક સત્ય ઘટનાને લઈને તલવારની સિક્વલ બનાવવા જઈ રહ્યાં છે. જે ગુડગામમાં એક સ્કૂલમાં બીજા ધોરણના બાળકની હત્યાના ઘટનાક્રમ પર આધારિત છે.

(4:04 pm IST)