Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ફિલ્મમેકર કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીએ છૂટાછેડા લેવાનો કર્યો નિર્ણય

પાંચ વર્ષ અલગ રહ્યાં બાદ છૂટાછેડાની પ્રક્રિયા શરૂ કરી

મુંબઈ : બોલીવુડના અદાકાર અને ફિલ્મમેકર કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. 5 વર્ષ અલગ રહેવા બાદ આ નિર્ણય કરાયો છે. આ માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. 

  માહિતી પ્રમાણે બંનેએ અદાલતમાં છૂટાછેડાની અરજી આપી દીધી છે. એક ખાનગી ન્યૂઝ પેપરના હિસાબે બંને પોતાની મરજીથી આ રીતે છૂટા થવા માગી રહ્યા છે. આશરે 6 મહિનામાં છૂટાછેડાની જાણ પણ થઈ શકે છે. છૂટાછેડાની અરજી બાદ બંને લોકોનું વિસ્તારથી કાઉન્સલિંગ પણ કરાયું હતું. તેમ છતાં બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.

   કોંકણા અને રણવીરે વર્ષ 2010માં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. વર્ષ 2015માં તેઓ અલગ થઈ ગયા હતા. બંનેને 8 વર્ષનો એક દિકરો પણ છે. તેનૂ નામ હારૂન છે. જો કે તલાક પછી બાળકને સાથે રાખવા મામલે કોઈ મતભેદ નથી. બંનેને બાળકની કસ્ટડી આપવામાં આવી છે. સેપરેશન પછી પણ બંને એકબીજાના મિત્રની જેમ રહે છે.

(12:32 am IST)