Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

પંજાબના વીર મહારાજ પર આધારિત ફિલ્મ બનાવશે જે.પી દત્તા

મુંબઈ:જે. પી. દત્તાની પલટન રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર પિટાઇ પણ ગઈ, પરંતુ મળતા અહેવાલ મુજબ તેઓ શીખ યોદ્ધા મહારાજા રણજિતસિંહની બાયોપિકની યોજના બનાવી રહ્યા છે. શેર-એ-પંજાબના નામે ખ્યાતનામ મહારાજા રણજિતસિંહ દેશના બહાદુર યોદ્ધા હતા. તેમના ખાલસા આર્મીમાં તમામ ધર્મના લોકોને પ્રવેશ અપાતો હતો. પલટનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર હર્ષવર્ધન રાણેએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે જે. પી. દત્તા સાથે એણે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ કર્યો છે. જે. પી. દત્તાએ ૧૯૭૬માં આવેલી સરહદ ફિલ્મથી દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવ્યું હતું.

(5:18 pm IST)