Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

વનરાજ ભાટિયાની મદદ માટે આગળ આવ્યા આમિર ખાન: શરૂ કર્યો બુક લખવાનો પ્રોજેક્ટ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા આમિર ખાને દિગ્ગ્જ સંગીતકાર વનરાજ ભાટિયાની મદદ કરવાનું એલાન કર્યું છે. વનરાજ છેલ્લા ઘણા સમયથી તંગહાલીના કારણે ચર્ચામાં આવ્યા છે તે ઘણા સમયથી બીમારીનો ભોગ બની રહ્યાં છે તેમની આવી હાલતની સારવાર માટે પણ તેમની પાસે પૈસા પણ નહોતા અને હવે આમિરે વનરાજની મદદ કરવા માટેનું એલાન કર્યું છે.

     તાજેતરમાં વનરાજે જણાવ્યું હતું કે તેમના બચત ખાતામાં એક પણ પૈસો નથી બચ્યો આમિરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે કે તેમને ખુબજ ખુશી થઇ રહી છે કે મ્યુજિક કમ્પોઝર વનરાજ ભાટિયાની જિંદગી પર બુક લખવામાં આવશે બુકને ખાલિદ મહોમ્મ્દ લખશે.

(5:56 pm IST)