Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

સાસુ જયા બચ્ચનની આ વાતથી ખૂબ નારાજ હતી ઐશ્વર્યા રાય

કોઈપણ પુત્રવધુ પોતાની સાસુની દખલગિરી સહન કરી શકતી નથી

મુંબઈ, તા.૨૬ : જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના શાનદાર ટ્યૂનિંગના પૂરાવા ઘણી વખત લોકોએ જોયા છે. જોકે, એ પણ હકીકત છે કે, આ બૉન્ડિંગમાં ઘટાડો થતો પણ જોવા મળ્યો છે. પહેલા જયા ખુલીને પુત્રવધુની પ્રશંસા કરતાં દેખાતાં હતાં, પણ હવે તેમને બહુ ઓછી જગ્યાએ એકસાથે સ્પૉટ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જયા બચ્ચનની એક આદતથી ઐશ્વર્યા પરેશાન થઈ ગઈ હતી અને એક ઈન્સિડેન્ટ બાદ તેમાં વધારો થઈ ગયો હતો.

જયા બચ્ચનના ગુસ્સાથી તો બધા વાકેફ છે. ઘણીવાર તે મીડિયાની સામે પણ ગુસ્સો કરતા જોવા મળ્યાં છે. આવું જ એકવાર ત્યારે થયું હતું જ્યારે એક રિપોર્ટરે ઐશ્વર્યાને 'એશ' કહીને બોલાવી હતી. એક્ટ્રેસનું આ નિકનેમ ઘણું ફેમસ હતું, પણ જયાને આ પસંદ ન આવ્યું અને તે રિપોર્ટર પર ભડકી ઉઠયાં. આ દરમિયાન ઐશ્વર્યા ખૂબ જ અસહજ દેખાઈ હતી.

આ ઈન્સિડેન્ટ બાદ રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે, જયાનું રિપોર્ટર પર આ રીતે ભડકવું ઐશ્વર્યાને પસંદ આવ્યું નહોતું. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, જયાનું આ રીતે વારંવાર જિંદગીમાં દખલગિરી કરવું ઐશ્વર્યાને પરેશાન કરી રહ્યું હતું. આમ તો આ વાતો માત્ર અફવા ગણાવવામાં આવી હતી પણ જે રીતે પહેલાની સરખામણીએ બંને વચ્ચે પબ્લિક પ્લેસમાં અંતર અને એક્સપ્રેશન્સ જોવા મળે છે, તે બીજી જ કોઈ વાત તરફ ઈશારો કરે છે.

હવે જયા-ઐશ્વર્યા વચ્ચેના મતભેદ કેટલા સાચા છે તે તો બચ્ચન ફેમિલી જ જાણતી હશે પણ એક વાત નક્કી છે કે, કેટલીક વાતો એવી હોય છે જેમાં કોઈપણ પુત્રવધુ પોતાની સાસુની દખલગિરી સહન કરી શકતી નથી.

એવા ઘણા પરિવાર છે જ્યાં સાસુ પોતાના પુત્ર અને પુત્રવધુની વચ્ચેના મુદ્દાઓમાં દખલ દેતી દેખા છે. ઉદાહરણ તરીકે, પતિ-પત્ની વચ્ચે કોઈપણ વાતે અસહમતિ બને તો તેમાં સાસુ જો વચ્ચે આવીને પુત્રની સાઈડ લઈ લે તો યોગ્ય નથી. અસલમાં કપલના ઝઘડામાં કોઈ ત્રીજી વ્યક્તિ વચ્ચે આવે છે તો આને તેમની પ્રાઈવસીમાં દખલ આપવી કહેવામાં આવે છે. આનાથી કપલના સંબંધને પણ નુકસાન થાય છે, કારણ કે, સાસુ દ્વારા કોઈ એકનો પક્ષ લેવો, બીજાના ગુસ્સાને વધારી શકે છે. સારું એ જ રહેશે કે, કપલ પોતાના ઈશ્યૂને પોતે જ ઉકેલે.

મોટા હોવાના નાતે સાસુ પોતાનો મત મૂકી શકે છે પણ તે પોતાના વિચારો કોઈના પર ન થોપી શકે. ઘણીવાર જોવા મળે છે કે, બાળકોને સારી આદત શીખવવા માટે મા થોડું કડક વલણ અપનાવે છે પણ દાદી હોવાને નાતે સાસુ ઉલ્ટાનું માને પીછે હટવા માટે કહી દે છે. આ કોઈપણ પુત્રવધુ માટે અસહનીય હોય છે કારણ કે, આ પ્રેમ બાળકોને જિદ્દી અને બીજી રીતે બગાડી શકે છે.

વહુએ કેટલા વાગ્યા જવું જોઈએ, આવવું જોઈએ, કેટલો સમય ઑફિસના કામને આપવો જોઈએ, જેવી ઘણી બાબતો જ્યારે સાસુ નક્કી કરવાનો નિર્ણય કરવા લાગે ત્યારે પુત્રવધુ તે માહોલમાં ગૂંગળામણ અનુભવવા લાગે છે. સાથે જ ઘરમાં કામ કરવાના પ્રકાર અથવા પતિ પાસે કામ કરાવવા અંગે પણ જ્યારે સાસુ વચ્ચે આવવા લાગે છે ત્યારે તે સ્થિતિ પણ પુત્રવધુને જબરદસ્ત રીતે ઈરિટેટ કરી દે છે.

વહુ પોતાની સેલેરી કેવી રીતે મેનેજ કરે તે અંગે જ્યારે સાસુ જબરદસ્તી વચ્ચે આવીને નિર્ણય કરવા લાગે ત્યારે માહોલને બગડવામાં વાર લાગતી નથી. ખાસ કરીને એવા કિસ્સાઓમાં જેમાં પુત્રવધુ પોતાના પિયર પર વધુ ખર્ચ કરે છે અને તેને જ્યારે ટોણાં મારવામાં આવે અથવા રોકટોક કરવામાં આવે તો કોઈપણ મહિલા માટે તે સ્થિતિ અસહનીય થઈ જાય છે.

(11:33 am IST)