Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

એકલો એકટર જવાબદાર નથી હોતોઃ અર્જુન કપૂર

અર્જુન કપૂરની ફિલ્મ તાજેતરમાં નેટફિલકસ પર રિલીઝ થઇ છે. અર્જુનની કારકિર્દીમાં ભલે બહુ વધુ સફળ ફિલ્મો ન હોય છતાં તેને અહિ અભિનય ક્ષમતાથી સાબિત કર્યુ છે કે તે આગળ વધી શકે છે. કેટલીક હિટ અને કેટલીક ફલોપ ફિલ્મો આપનાર અર્જુન કહે છે ફિલ્મની સફળતા અને નિષ્ફતા એકલા માત્ર અભિનેતા પર આધારીત નથી હોતી. એકટરે કેટલી હિટ અને કેટલી ફલોપ આપી છે તેના પરથી પણ એ નક્કી થતું નથી. સારા અભિનેતાને તેણે ફિલ્મોમાં આપેલા અભિનય પરથી આંકવામાં આવે છે. કેટલીક વખત એવું પણ થઇ જાય કે તમે ખુબ સારા એકટર હો પરંતુ તમારી પસંદગી ખોટી હોય છે. કેટલાક અભિનેતા લોકોને આકર્ષવા માટે સક્ષમ હોય છે. પરંતુ કયારેક આવા એકટરથી પણ ચાહકો-દર્શકો નારાજ થઇ જતાં હોય છે. કારણ કે એકટર એકલો હિટ અને ફલોપ માટે જવાબદાર હોતો નથી. કેટલીક વખત સ્ટોરી મુજબ સ્ક્રિપ્ટ તૈયાર ન થઇ હોય અને એકટરે સારુ કામ કર્યુ હોય તો પણ ફિલ્મ ફલોપ નિવડતી હોય છે.

(10:11 am IST)