Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

પરિક્ષાથી ડર નથી લાગતો અદિતીને

ટીવી સિરીયલ પૂણ્યશ્લોક અહલ્યાબાઇ અઢારમી સદી પર આધારીત છે. સોની ટીવી પરના આ શોને અસંખ્ય ચાહકો પસંદ કરી રહ્યા છે. સિરીયલમાં એવી મહિલાની કહાની છે જેને તેમના સસરા મલ્હાર રાવ હોલ્કર નિસ્વાર્થ સમર્થન આપે છે. સામાજીક નિયમો અને પુરૂષવાદી   સમાજની બોલબાલા હતી એ સમયે અહિલ્યાબાઇ તેમાં પરિવર્તન કરવા પ્રયાસો કરે છે અને તેમાં સસરા તેને મદદ કરે છે.  અહિલ્યાબાઇ સાબિત કરે છે કે વ્યકિત પોતાના કર્મથી જ મહાન છે. શોમાં બાળ અહિલ્યાબાઇનો રોલ બાળ કલાકાર અદિતી જલતારે નિભાવી રહી છે. શોમાં અહિલ્યાની સફર દેખાડાઇ રહી છે જે શિક્ષણ મેળવવા ઇચ્છે છે. મલ્હાર રાવ હોલકર તેના સપના પુરા કરે છે. અદિતી પોતે કે જે આ રોલ નિભાવી રહી છે તે છઠ્ઠા ધોરણમાં ભણે છે. તે શુટીંગના સેટ પર જ સમય મળતાં અભ્યાસ કરી લે છે. તે કહે છે તેને પરિક્ષાથી ડર નથી લાગતો. પરિક્ષાની તૈયારી અને રિવીઝન માટે તે સમય કાઢી લે છે. શુટીંગમાં બ્રેક મળતાં જ એ અભ્યાસનું રિવીઝન કરી લે છે.

(10:11 am IST)