Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

અમુક ફિલ્મો દોસ્તીને કારણે જ કરી હતીઃ શ્રેયશ

અભિનેતા શ્રેયશ તલપડે ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. ઇકબાલ, ઓમ શાંતિ ઓમ, હાઉસફુલ-૨, ગોલમાલ સહિતની સુપરહિટ ફિલ્મોએ તેને ઓળખ આપી છે. આમ છતાં શ્રેયશની કારકિર્દી જોઇએ એવી જામી નથી. તે ઘણા સમયથી પરદા પરથી દૂર છે. તાજેતરમાં શ્રેયશે કહ્યું હતું કે મેં ઘણી ફિલ્મો માત્ર દોસ્તીને કારણે કરી છે. પરંતુ એ જ મિત્રોએ મારી પીઠ પાછળ ઘા કર્યો હતો. કેટલાક એવા મિત્રો પણ છે જે માને પોતાની સાથે સામેલ કર્યા વગર જ આગળ વધી ગયા છે. શું એમને દોસ્ત કહી શકાય? શ્રેયશ કહે છે આ ઇન્ડસ્ટ્રીમાં નેવું ટકા લોકો માત્ર પરિચિત હોય છે. તેમાં માત્ર દસ ટકા લોકો જ વાસ્તવિક હોય છે, જેઓ તમે સારું કરો તો સાચ્ચે ખુશ થતાં હોય છે. મારી મુખ્ય ભુમિકાવાળી ફિલ્મ ઇકબાલને ખુબ પ્રસંશા મળી હતી. અમુક ફિલ્મો નહોતી ચાલી એ માટે હું પોતે દોષી છું. કારણ કે મેં મારું પોતાનું માર્કેટીંગ કર્યુ નહોતું. કેટલાક કલાકારો મારી સાથે કામ કરવા રાજી પણ નથી હોતાં. પણ હું મારું શ્રેષ્ઠ આપતો રહીશ. અંતિમશ્વાસ સુધી અભિનય કરતો રહીશ.

(10:10 am IST)