Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

અર્જુન બિજલાનીને ફરી થયો કોરોના: ફેન્સને આપી આ સલાહ

મુંબઈ: દેશમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે અને ધીમે-ધીમે ટીવી-ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ તેનો શિકાર થઈ રહ્યા છે. હાલમાં જ ટીવીની દુનિયાના જાણીતા કલાકાર નકુલ મહેતા આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવ્યા છે. નકુલ બાદ હવે અર્જુન બિજલાનીને પણ કોરોના થયો છે. અર્જુને આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે અને તેના ફેન્સને પણ સાવધ રહેવાની સલાહ આપી છે. પોતાનો એક લેટેસ્ટ વિડીયો શેર કરતા અભિનેતાએ ચાહકોને પોતાના માટે પ્રાર્થના કરવા પણ કહ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અર્જુન બિજલાની એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.

(6:02 pm IST)