Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

અંકિતા લોખંડે સ્વ.સુશાંતસિંહ રાજપૂત માટે ગણેશ બાપ્પા પાસે કરી પ્રાથર્ના

મુંબઈ: અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુથી અભિનેતા માટે ન્યાય માટેની લડત ચલાવી રહી છે. અંકિતા સુશાંત વિશેની પોસ્ટ શેર કરતી રહે છે. હવે તાજેતરમાં તે ગણપતિ બાપ્પાને ઘરે લઈ આવી. આ પ્રસંગે તેમણે સુશાંત માટે પ્રાર્થના પણ કરી હતી. અંકિતાએ ગણપતિ બાપ્પાનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, "ઘરે આપનું સ્વાગત છે, ગણપતિ બાપ્પા." બાપ્પા, તમે બધું જાણો છો. બાપ્પા તમે અને હું ખાસ બોન્ડ શેર કરું છું. ચાલો આપણે બધા ભેગા થઈને બાપ્પાને પ્રાર્થના કરીએ. સૌને ગણેશ ચતુર્થીની શુભકામના.

(5:22 pm IST)