Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

જૈકલીન અને ભૂમિ નિભાવશે મુખ્ય રોલ

નિર્દેશક મહેશ ભટ્ટની ૧૯૮૨માં આવેલી ફિલ્મ અર્થની રિમેક બની રહી છે. આ ફિલ્મમાં પહેલા જૈકલીનનું નામ જોડાયું હતું. એ પછી સ્વરા ભાસ્કરનું નામ સામે આવ્યું હતું. તો ત્યારબાદ ભૂમિ પેડનેકર મુખ્ય રોલ નિભાવશે તેવું કહેવાયું હતું. પરંતુ મુખ્ય ભૂમિકા માટે જૈકલીન ફર્નાન્ડીઝને જ ફાઇનલ કરવામાં આવી છે. મહેશ ભટ્ટ અને સુજિત સેનએ લખેલી આ ફિલ્મ ઘણાઅંશે મહેશ ભટ્ટની જિંદગી પર આધારીત હોવાનું કહેવાય છે. ફિલ્મમાં શબાના આઝમીનો મુખ્ય રોલ પૂજાના પાત્રમાં છે. તેના પતિ ઇન્દરનો રોલ કુલભુષણ ખરબંદાએ નિભાવ્યો હતો. સ્મિતા પાટીલ ફિલ્મમાં કવિતાના રોલમાં હતી. જેના માટે ઇન્દર પોતાની પત્નિ પૂજાને છોડી દે છે. રિમેકમાં પૂજાનો રોલ જૈકલીન નિભાવશે. સ્મિતા પાટીલવાળો રોલ હવે ભૂમિને બદલે સ્વરા ભાસ્કર નિભાવશે.

(10:01 am IST)