Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

'અંગૂરીભાભી' શુભાંગી અત્રેએ સુરતમાં શુટિંગ ફરી શરૂ કર્યું

મુંબઇ,તા. ૨૪: લોકપ્રિય હિન્દી ટીવી સિરિયલ 'ભાભીજી ઘર પર હૈ' ની અભિનેત્રી શુભાંગી અને કોરોના વાયરસ બીમારીમાંથી સાજી થઇ ગઇ છે. અને એણે સુરતમાં આ સિરિયલના નવા એપિસોડ માટેનું શૂટિંગ ફરી શરૂ કરી દીધુ છે. આ કોમેડી સિરિયલમાં શુંભાગી 'અંગૂરીભાભી'નું પાત્ર ભજવી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ ખૂબ વધી જતા સરકારના આદેશને પગલે તમામ ટીવી સિરિયલોનુ શૂટિંગ અટકાવી દેવુ પડ્યું હતું. પરિણામે બીજા અનેક ટીવી શોની જેમ 'ભાભીજી ઘર પર હૈ' સિરિયલના નિર્માતાઓએ પણ અન્ય રાજ્યોમાં જઇને શૂટિંગ કરવાનું નક્કી કર્યું છે. 'ભાભીજી ઘર પર હૈ' શૂટિંગ એક મહિના બાદ ફરી શરૂ કરાયું છે, પણ મુંબઇને બદલે સુરતમાં.

શોમાં ફરી હાજર થયાની જાણકારી ખુદ શુંભાગીએ આપી છે. તેણે કહ્યુ , ' હું સુરતમાં મારા કામ પર પાછી ફરી છું.  નસીબદાર છું કે મારૂ શૂટિંગ ફરી શરૂ કરી શકી છું. અમે સૌ અહીંયા દરેક કોવિડ -૧૯ માર્ગદર્શિકાઓનું બરાબર પાલન કરીએ છીએ. હું પોતાને એકદમ સુરક્ષિત સમજું. છું. કારણ કે અમારી ટીમ મારે મન પરિવાર જેવી છે. અમે ઘણા વર્ષોથી દરરોજ કલાકો સુધી સાથે મળીને કામ કરતા આવ્યા છીએ.' શુભાંગીને જો કે એની દીકરી અશી અને પતિ પીયુષ પૂરેની યાદ ખૂબ આવે છે એવુ તેણે કહ્યુ, હું અહીંયા મારા પરિવારની કમી ખૂબ જ મહેસુસ કરૃં છું. પરંતુ અમે વર્ચ્યુઅલી કનેકટેડ રહીએ છીએ.

(9:56 am IST)