Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ટીવી શોના સેટ પર કનિકા પીવે છે આયુર્વેદિક ઉકાળો

ઝી ટીવીના શો 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા'ના નવા શોનું શુટીંગ ચાલુ છે. સેટ પર પહોંચતા જ તમામ કલાકારો અને ક્રુ મેમ્બર્સ કોરોનાથી બચવા માટે ભરપુર તકેદારી રાખે છે. મુખ્ય રોલ નિભાવી રહેલી કનિકા માન કહે છે હું સેટ પર પહોંચીને સોૈ પહેલા સેનેટાઇઝ થવાનું કામ કરુ છું. એ પછી ચા નહિ પણ આયુર્વેદિક દવા લઉ છું અને જડીબુટ્ટી સાથેનો ઉકાળો પીવ છું. બીજા કલાકારો પણ આ રીત અપનાવી રહ્યા છે. કનિકા કહે છે અમારા નિર્માતાએ આ ગોઠવણ કરી છે. સોૈ કોઇએ ઉકાળો અને આયુર્વેદિક દવા ફરજીયાત લેવાની હોય છે. ત્રણ દિવસ બાદ આ રૂટીનમાં નવી દવા ઉમેરાય છે. બીજી સિરીયલના સેટ પર કોવિડ-૧૯ દેખાયા પછી અમે વધુ સાવચેત બન્યા છીએ. તમામ કલાકારો અને ક્રુ મેમ્બર્સની રોગ પ્રતિકારક શકિત વધે એ માટેના પ્રયાસો કરવામાં આવે છે. જેથી કરીને કોઇને સહન કરવું ન પડે. આ પ્રકારની સાવચેતી રાખવાનું સરકારે નથી કહ્યું પણ પ્રોડકશન હાઉસે જ આ નિર્ણય લીધો છે. માત્ર સેનિટાઇઝેશન કરવાથી કંઇ ન વળે. આ પ્રકારની કાળજી પણ જરૂરી છે.

(9:21 am IST)