Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

શો છોડીને ભાવિકાએ કહ્યું પોતે આગળ વધવા માંગે છે

ટીવી શો મેડમ સર સાથે પહેલેથી જ જોડાયેલી અભિનેત્રી ભાવિકા શર્માએ આ શો છોડી દીધો છે. સંતોષ શર્માના નામે ઘર ઘરમાં પ્રસિધ્‍ધ થયેલી ભાવિકા આ શોમાં પોતાની ભૂમિકા સાઇડલાઇન થવાથી દુઃખી હતી. અંતે તેણે શો છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. જ્‍યારથી ભાવિકાએ શો છોડવાની વાત કરી ત્‍યારથી અમે તેની બધા તેના ટ્રેક બાબતે ચર્ચાવિચારણા કરી રહ્યાં હતાં.તેણે કહ્યું હતું કે અભિનેત્રી તરીકે તેનો વિકાસ નથી થઇ રહ્યો. છેવટે તેણે સિરિયલ છોડી દેવાનો નિર્ણય કરી લીધો. સિરિયલના નિર્માતાએ શોમાં નવી અભિનેત્રીઓ રચના પારૂલકર, પ્રાચી બોહરા અને સુલભા આર્યાને લીધી હોવાથી હમણાં તેમના પર ફોકસ કરવામાં આવી રહ્યું હતું. સ્‍વાભાવિક રીતે જ અગાઉથી જામી ગયેલી ભાવિકા હાંસિયામાં ધકેલાઇ ગઇ હતી. તે ફરીથી કેન્‍દ્ર સ્‍થાને કયારે આવશે તે કહેવું મુશ્‍કેલ હતું.આમ છતાં ભાવિકાએ આ બાબતે મૌન રહી એક અભિનેત્રી તરીકે આગળ વધવા માંગે છે એટલુ જ કહ્યું હતું.

(11:08 am IST)