Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

'લવ સોનિયા'માં કામ કરતાં ડરી રહી હતી ઋચા ચઢ્ઢા

રાજકુમાર રાવ, મનોજ બાજપાઇ, ઋચા ચઢ્ઢા અને ફ્રિડા પિન્ટો જેવા કલાકારોને લઇને બનાવાયેલી ફિલ્મ 'લવ સોનિયા' ૧૪મી સપ્ટેમ્બરે રિલીઝ થશે. બાળ તસ્કરી પર આધારીત આ ફિલ્મમાં ૧૭ વર્ષની છોકરીની કહાની છે. જે પોતાની બહેનને ભારત, હોંગકોંગ, લોસ એન્જેલિસમાં થઇ રહેલી માનવ તસ્કરીની જાળમાં ફસાતી બચાવવા નીકળી પડે છે. ઋચાએ આ ફિલ્મ બાબતે કહ્યું હતું કે હું પહેલા તો લવ સોનિયામાં કામ કરતાં ડરી ગઇ હતી. પોતે એક કોઠાની સંચાલક અને માનવ તસ્કરીનો શિકાર થયેલી દુષ્કર્મ પિડીતાના રોલમાં જોવા મળવાની છે. ઋચા કહે છે આ પાત્ર નિભાવવા માટે હું સહજ નહોતી. મુદ્દો પણ ખુબ સંવેદનશીલ છે. ઋચાને લાગતું હતું કે આવી ફિલ્મ કરવાથી ટાઇપકલાસનું લેબલ લાગી જવાનો ભય હતો. પણ આ ફિલ્મ મેલબર્ન ફેસ્ટીવલમાં શ્રેષ્ઠ સાબિત થઇ છે. નિર્દેશક તબરેજ નુરાની છે.

(9:38 am IST)