Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

સોની સબની સિરીયલ ‘ઝિદ્દી દિલ- માને ના'માં કરણ અને મોનામીનું જીવન ખતરામાં

(કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબ પર ઝિદ્દી દિલ- માને નાએ દેવલાલીમાં અચાનક ભેખડ ધસી પડવાની ઘટનાને લઈ બધાને તણાવમાં મૂકી દીધા છે. જોકે કરણ (શાલીન મલ્‍હોત્રા) અને તેના કેડેટ્‍સ તુરંત પગભર થયા અને સફળતાથી બચાવ કામગીરી પાર પાડી. આ વચ્‍ચે કરણને એ જાણીને રાહત થાય છે કે મોનામી (કાવેરી પ્રિયમ) હેમખેમ છે અને ડોકટર તરીકે પોતાની ફરજ બજાવી રહી છે. કાટમાળમાંથી સિદ (કુનાલ કરણ કપૂર)ની વસ્‍તુઓ મળી આવતાં બધા જ દુઃખમાં ગરકાવ થઈ જાય છે.
કરણની ભૂમિકા ભજવતો શાલીન મલ્‍હોત્રા કહે છે, કરણની મોનામી માટે લાગણીઓ વધુ સિદ્ધ બને છે અને અનીશને તે સારું લાગતું નથી. આ લાક્ષણિક પ્રણયત્રિકોણ છે અને દર્શકોને આગામી ઘટનાક્રમથી આશ્‍ચર્ય થશે. અમારાં પાત્રો બહુ જ નિર્બળ તબકકામાં છે અને આ દ્રશ્‍ય ભજવવાનું પડકારજનક અને રોમાંચક પણ છે. દરેક વાર્તા સાથે અમારા પ્રયાસ દર્શકોને જકડી રાખવાનો છે અને અમને ખાતરી છે કે આ મનોરંજક બની રહેશે.

 

(2:44 pm IST)