Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જેનિફરનો શો થશે બંધ, શરૂ થશે અદા ખાનનો શો

જેનિફર વિંગેટ અને હર્ષદ ચોપડા અભિનીત લવ-મિસ્ટ્રી દર્શાવતો ટીવી શો બેપનાહ બાબતે હાલમાં ખુબ ચર્ચા છે કે આ રિસીયલ બંધ કરી દેવામાં આવશે. આ કારણે શોના ચાહકો નારાજ થઇ ગયા છે. જો કે ચેનલ પરથી હજુ કોઇ ઘોષણા કરવામાં આવી નથી. પણ બેપનાહ ઓફએર થઇ રહ્યાની વાતો ખુબ થઇ રહી છે. એવી ચર્ચા છે કે આ શો બંધ થશે અને તેની જગ્યાએ 'સિતારા' નામનો શો શરૂ થશે. આ સિરીયલમાં અદા ખાન મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. બેપનાહ શોને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. ત્યારે અચાનક શો બંધ કરતા પહેલા મોટો લિપ દેખાડાશે. એ પછી કહાનીને છ વર્ષ આગળ લઇ જઇછેલ્લે શો પુરો કરવામાં આવશે. હાલમાં એવું દેખાડાયું હતું કે આદિત્ય (હર્ષદ ચોપડા) જેલમાં છે. ૩૦મી નવેમ્બરથી શો બંધ થશે તેમ કહેવાય છે.

(10:35 am IST)