Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

તાન્હાજી : ધ અનસંગ વૉરિયરએ દસ દિવસમાં કર્યો ૧૬૭.૪૫ કરોડનો બિઝનેસ

ઉત્તર પ્રદેશમાં અને હરિયાણામાં ટૅક્સ ફ્રી કરાઈ

મુંબઈ : 'તાન્હાજી : ધ અનસંગ વૉરિયર'એ દસ દિવસમાં ૧૬૭.૪૫ કરોડનો બિઝનેસ કર્યો છે. દસ જાન્યુઆરીએ રિલીઝ થયેલી અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાનની આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. તેમનાં પ્રશંસનિય પર્ફોર્મન્સથી બૉક્સ-ઑફિસ પર કલેક્શન જબરદસ્ત થઈ રહ્યું છે.

  આ ફિલ્મ ૧૫૦ કરોડમાં બની હતી. રિલીઝનાં બીજા અઠવાડિયે જ આ ફિલ્મે ૧૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ઇતિહાસને દેખાડતી આ ફિલ્મને ઉત્તર પ્રદેશમાં અને હરિયાણામાં ટૅક્સ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મે બીજા રવિવારે પણ જંગી એટલે કે ૨૨.૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

(12:46 pm IST)