Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ઈમ્તિયાઝ અલી ભવિષ્યમાં રાધાકૃષ્ણ પર બનાવશે ફિલ્મ

મુંબઇ:  મોખરાના ફિલ્મ સર્જક ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં હું અચૂક રાધાકૃષ્ણ વિશે ફિલ્મ બનાવીશ. મારો માનીતો અને મનમગતો વિષય છે.અગાઉ એક કરતાં વધુ હિટ ફિલ્મો આપી ચૂકેલા ઇમ્તિયાઝ અલીએ તાજેતરમાં એકતા કપૂરની લૈલા મજનુની સ્ક્રીપ્ટ લખી હતી. સાવ નવા ચહેરાઓને લઇને એકતા કપૂરે બનાવેલી ફિલ્મ જો કે બોક્સ ઑફિસ પર ચાલી નહોતી. ઔઇમ્તિયાઝે કહ્યું, આવા વિષયની ફિલ્મ બનાવતી વખતે અણીશુદ્ધ હકીકતો રજૂ કરવી પડે એટલે એક બહુ મોટો પ્રોજેક્ટ છે અને સારો એવો સમય અને શક્તિ માગી લે છે. મારા મનમાં ફિલ્મ મોટે પાયે આકાર લઇ ચૂકી છે. હું વહેલો મોડો ફિલ્મ અચૂક બનાવવાનો છું એમાં કોઇ શંકા નથી.'ઔએણે ઉમેર્યું હતું કે હાલ હું ફિલ્મ વિશે વધુ કંઇ કહેવાની સ્થિતિમાં નથી. અત્યારે તો અમે સ્ક્રીપ્ટ તૈયાર કરી રહ્યા છીએ. એમ સમજો કે ડ્રોઇંગ બોર્ડ પર ચિત્ર તૈયાર થઇ રહ્યું છે. કેનવાસ પર ત્યારબાદ ઊતારવાની અમારી યોજના છે. મિડિયાએ વિશે વધુ માહિતી મેળવવા થોડી ધીરજ રાખવી પડશે. આવો વિશાળ ફલક ધરાવતી ફિલ્મની જાહેરાત ઉતાવળે ઉતાવળે થઇ શકે નહીં.

(6:13 pm IST)