Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ટીવી અભિનેતા રણદીપને પણ મળ્યું બોલીવૂડમાં કામ

સોની ટીવી પરના શો 'યે ઉન દિનો કી બાત હૈ'માં સમીર માહેશ્વરીનો રોલ નિભાવી રહેલો અભિનેતા રણદીપ રાય હવે બોલીવૂડમાં પણ કામ કરશે. રોમાન્ટીક કોમેડી ફિલ્મ 'સરોજ કા રિશ્તા'માં તેને મહત્વનો રોલ મળ્યો છે. આ તેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રણય ત્રિકોણ પણ હશે. અભિનેતા ગોૈરવ પાંડે અને શાહિદ કપૂરની બહેન સના અને રણદીપ આ કહાનીના મુખ્ય પાત્રો છે. રણદીપે કહ્યું હતું કે ટીવી અભિનેતાને કોઇપણ ફિલ્મ મળે તો તેના માટે અત્યંત ખુશીનો દિવસ હોય છે. તેને અદ્દભુત તક મળતી હોય છે. હું નસિબદાર છું કે મને આ તક મળી છે. આ ફિલ્મના નિર્દેશક અભિષેક સકશેના છે.

(10:20 am IST)