Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

રિમેક બનાવવાની અજયની ઇચ્છા

અજય દેવગણની છેલ્લી ફિલ્મ તાન્હાજી-ધ અનસંગ વોરિયર સુપરડુપર હિટ સાબિત થતાં તે હવે અન્ય ફિલ્મોનું શુટીંગ કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મોમાં ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાના શુટીંગમાં વ્યસ્ત છે. તે આરઆરઆર અને સૂર્યવંશીમાં પણ ખાસ રોલમાં જોવા મળવાનો છે. અજયએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પોતાની જ પ્રથમ ફિલ્મ ફૂલ ઓૈર કાંટેની રિમેક બનાવવાની ઇચ્છા દર્શાવી હતી. ૧૯૯૧માં આ ફિલ્મથી અજયએ બોલીવૂડમાં કદમ રાખ્યા હતાં અને રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. ફિલ્મમાં તેની હિરોઇન મધુ હતી. ફિલ્મના સુપરહિટ ગીતો આજે પણ ચાહકોને ગમે છે. અજય દેવગણે એમ પણ કહ્યું હતું કે હું ફુલ ઓૈર કાંટેની રિમેક બનશે તો પ્રોડ્યુસ કરીશ. આ ફિલ્મ હવે આજના સમયે કઇ રીતે બનશે તે પણ મેં વિચારી રાખ્યું છે. હું નવા ચહેરાઓને લઇને આ ફિલ્મ બનાવીશ. પ્રસ્તુતી પણ અલગ જ હશે પણ ઇમોશન અગાઉની ફિલ્મ જેવી જ હશે. જો કે હજુ આ ફિલ્મ કયારે બનશે તે નક્કી નથી.

(10:12 am IST)