Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

અનુરાગના પિતાને કારણે કોમોલિકાની થશે વિદાય

ટીવી પરદાના જાણીતા શો 'કસોૈટી જિંદગી કી-૨'માં અનેક ચોંકાવનારા વળાંકો આવતાં રહે છે. શોમાં પાર્થ સમથાન, એરિકા ફર્નાન્ડિઝ અને હીના ખાન મુખ્ય રોલમાં છે. આ શોમાં કોમોલિકાનો રોલ નિભાવીને હીનાએ ખુબ નામના મેળવી છે. પરંતુ તેણે પોતે જ આ શો ફિલ્મોના કામને કારણે છોડી રહ્યાનું સ્પષ્ટ કરી દીધું છે. કોમોલિકાના પાત્રની વિદાય કઇ રીતે થશે? તેની તૈયારી નિર્માતાઓએ કરી લીધી છે. અનુરાગના પિતા મોલોય બાસુ એક અકસ્માત બાદ કોમામાં જતાં રહ્યા છે, જે હવે કોમાંમાંથી બહાર આવશે. શોમાં આવતા જ તે કોમોલિકાના કાવત્રાને બધા સામે ઉઘાડા પાડી દેશે. પ્રેરણાને પણ ખબર પડી જશે કે અનુરાગે કોમોલિકા સાથે લગ્ન શા માટે કર્યો. અનુરાગના પિતાનો આ ખુલાસો થશે એ સાથે જ કોમોલિકા શોમાંથી બહાર થશે. એ પછી બધા જ પરિવારજનો કોમોલિકા સામે નફરત દર્શાવાશે અને ઘરમાંથી હાંકી કાઢશે. 

(9:42 am IST)