-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
કોવિડના લીધે આવી પડેલા પ્રભાવ વિશે પાંચ અનોખી વાર્તા
'અનપોઝડ-નયા સફર' ૨૧મીએ થશે સ્ટ્રીમઃ સકારાત્મક ગીત રજૂ થયું
મુંબઇ તા. ૧૯: એમેઝોન ઓરિજિનલની ફિલ્મ 'અનપોઝડ-નયા સફર'નું ટ્રેલર લોન્ચ થયા પછી તેનું એક ગીત આજે રજુ કરાયું છે. સંગીતકાર બેલડી સચિન-જીગર દ્વારા રચિત આ ગીત ફિલ્મની થીમની જેમ જ આશા અને સકારાત્મકતાનો સંદેશો રજૂ કરે છે. અમિત મિશ્રાએ તેને ગાયું છે. જેમાં શેકસસ્પિયરનું રેપ પણ છે. નયા સફરના ગીતો કૌશર મુનીરે લખ્યા છે.
આ ગીત વિશે વાત કરતાં, સંગીતકાર જોડી સચિન સંઘવી અને જીગર સરૈયાએ જણાવ્યું હતું કે, નયા સફર ગીત કૃતજ્ઞતા અને નવી શરૂઆતના વિષયની આસપાસ છે. આપણા જીવનમાં એવો સમય આવે છે કે જ્યારે આપણે અનુભવીએ છીએ કે આપણે બધું જ ગુમાવી દીધું છે, ક્યાંય જવા જેવું હોતું નથી, વગેરે. નયા સફર એક એવું ગીત છે જે પ્રેરણાનું કાર્ય કરે છે અને શ્રોતાઓના હૃદયને પુનઃશકિતસંચારયુકત આશા અને સકારાત્મકતાથી ભરી દે છે જેથી તેઓ કોઈપણ વસ્તુથી નિરાશ ન બને. અનપોઝડ-નયા સફર કોવિડ-૧૯ ના લીધે આપણી જિંદગી પર પડેલા તેના પ્રભાવ વિશે પાંચ અનોખી વાર્તાઓ થકી આશા, સકારાત્મકતા અને નવી શરૂઆતની ખિડકી ખોલે છે. જે આપણા માટે જીવન અને લાગણીઓને પહેલા કરતા વધુ મૂલ્યવાન બનાવે છે. પ્રેમ, ઝંખના, ડર અને મિત્રતા જેવી માનવીય લાગણીઓના ચિત્રણોને સંવેદનશીલ રીતે જીવંત કરવામાં આવ્યા છે. ભારત તથા બીજા ૨૪૦ દેશામાં અનપોઝડ- નયા સફર ૨૧મીએ રિલીઝ થશે.