Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ત્યારે બીજો કોઇ રસ્તો નહોતોઃ નિયા

ટીવી પરદાની હોટ અભિનેત્રી નિયા શર્મા તેના કામ અને સોશિયલ મિડીયા પરની તસ્વીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. એક સમયે નિયા પોતાના પૈસા માટે નિર્માતા સામે જીદે ચડી હતી. નિયાના કહેવા મુજબ બાર કલાક કામ કરવા છતાં તેને અનપ્રોફેશનલ કહી દેવામાં આવી હતી. નિયાએ એક અગ્નિપરિક્ષા શોથી અભિનય શરૂ કર્યો હતો. એ પછી એક હજારો મેં મેરી બહેના હૈ, જમાઇ રાજા, ઇશ્ક મેં મરજાવા, નાગિન-૪ સહિતના શો થકી નામના મેળવી છે. ખતરો કે ખિલાડી જેવા રિયાલીટી શોમાં પણ તે સામેલ થઇ હતી.  પેમેન્ટ માટે કેટલી મહેનત કરવી પડી હતી એ વિશે નિયા શર્માએ કહ્યું કે તમે સખત મહેનત કરો છો અને તમારા જ મહેનતના પૈસા માટે ભીખ માગવી પડે તો શું થાય? આવી સ્થિતિમાંથી હું પસાર થઈ છું અને એના માટે મેં લડત કરી હતી. હું સ્ટુડિયોની બહાર ઊભી રહેતી હતી. પેમેન્ટ નહિ મળે ત્યાં સુધી કામ નહિ કરું એવું કહ્યું હતું. કેમ કે બીજો કોઇ રસ્તો જ નહોતો.

(9:50 am IST)