Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

એકશન થ્રિલર ફિલ્મનું શુટીંગ શરૂ કરશે અજય દેવગણ

બોલીવૂડ અભિનેતા અજય દેવગણ અનેક પ્રોજેકટમાં વ્યસ્ત છે. અજય હવે સાઉથની સુપરહિટ ફિલ્મ કૈથીની હિન્દી રીમેક કરી રહ્યો છે. આ ફિલ્મનું શુટીંગ શરૂ થવાનું હતું. પરંતુ કોરોનાને કારણે નિર્માતાઓએ કામ અટકાવ્યું હતું. હવે આગામી અઠવાડીએ શુટીંગ શરૂ થવાની શકયતા છે. ફિલ્મની કહાની એક પૂર્વ અપરાધીની છે. જે પોતાની સજા પુરી કરીને પહેલી વખત દિકરીને મળવા જાય છે. ડ્રગ માફીયાઓ વિરૂધ્ધ પોલીસની કાર્યવાહી પર આ ફિલ્મ આધારીત છે. મુળ ફિલ્મનું નિર્દેશન લોકેશ કનગરાજે કર્યુ હતું. કૈથીની હિન્દી રિમેકનું નિર્દેશન અજય શર્મા કરશે. વર્ષ ૨૦૨૦માં અજય દેવગણે ટ્વિટર હેન્ડલ પર આ ફિલ્મનું એલાન કર્યુ હતું. આ એક એકશન થ્રિલર ફિલ્મ છે. અજય દેવગણની આરઆરઆર, ગગુબાઇ કાઠીયાવાડી, મૈદાન, રનઅવે-૩૪, થેન્ક ગોડ સહિતની ફિલ્મો આવી રહી છે. 

(9:49 am IST)