Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

તો આ કારણોસર જ્હોન અબ્રાહમે ફિલની પાત્રી કરી કેન્સલ

મુંબઇ: આગેવાન અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમે કેરળના વિનાશકારી પૂરને ધ્યાનમાં રાખીને પોતાની હિટ નીવડેલી ફિલ્મ સત્યમેવ જયતેની પાર્ટી રદ કરી હોવાની માહિતી મળી હતી. ફિલ્મ ૧૫મી ઑગષ્ટે ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમારની ગોલ્ડની સાથે રજૂ થઇ હતી અને બંને ફિલ્મે પહેલેજ દિવસે કુલ ૪૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. ગોલ્ડે ૨૫ કરોડ અને સત્યમેવ જયતેએ ૨૦ કરોડની આવક બોક્સ ઑફિસ પર નોંધાવી હતી.મિડિયા રિપોર્ટ એવા હતા કે ગોલ્ડની સાથે સત્યમેવ જયતે રજૂ થવાથી જ્હૉનની ફિલ્મને સહન કરવું પડશે કારણ કે અક્ષયની ફિલ્મ સાથે રજૂ થતી ફિલ્મોને બોક્સ ઑફિસ પર સહન કરવાનું આવે છે.જો કે જ્હૉને એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને ફિલ્મોની કથા અલગ છે એટલે વાંધો નહીં આવે. વળી એણે એમ પણ કહ્યું હતું કે  અક્ષય મારો સારો દોસ્ત છે અને એની સાથે મારી ફિલ્મ રજૂ થાય તેનો મને ડર નથીબંને ફિલ્મોનો ઉપાડ જોરદાર થતાં જ્હૉને પાર્ટી યોજવાનો નિર્ણય કર્યો હતો પરંતુ કેરળના વિનાશકારી પૂરના સમાચાર આવતાં એણે પાર્ટી નહીં કરવાનું નક્કી કર્યું હતું. છેલ્લી ઘડીએ પાર્ટી નહીં કરવાનું જાહેર કર્યું હતું. એણેે કહ્યું કે મારો પોતાનો પરિવાર પણ ત્યાં છે. જો કે મારાં સ્વજનો સુરક્ષિત છે પરંતુ બીજા લાખો લોકો પૂરનો ભોગ બન્યાં છે એટલે હું પાર્ટી કરવા માગતો નથી.

 

(4:45 pm IST)