Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

હું તો ભગવાનને પ્રાર્થના કરૂ છું કે મુન્નાભાઇ-૩ ફિલ્મનું શુટિંગ જલ્દી શરૂ થાયઃ સંજય દત્ત

મુંબઈ : બોલિવૂડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) પોતાની આગામી ફિલ્મ મુન્નાભાઈ 3 (Munna Bhai 3)ના મામલે ભારે ચર્ચામાં છે. સંજયના ચાહકો પણ આ ફિલ્મ વિશે ભારે ઉત્સાહી છે. હાલમાં સંજયે આ ફિલ્મ વિશે મોટો ખુલાસો કર્યો છે. ફિલ્મ વિશે સંજય કહ્યું છે કે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે ફિલ્મનું શૂટિંગ જલ્દી શરૂ થાય. જોકે આ મામલે ડિરેક્ટર રાજકુમાર હિરાની જ જવાબ આપી શકશે. હું પણ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની રાહ જોઈ રહ્યો છું.

'મુન્ના ભાઈ 3' (Munna Bhai 3)નું ડિરેક્શન રાજુ હિરાની (Rajkumar Hirani) કરવાના હતા પણ એ સમયે તેમના પર યૌન ઉત્પીડનનો આરોપ હતો. હવે જ્યાં સુધી રાજકુમાર હિરાનીને ક્લિનચીટ નહીં મળે ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ નહીં થાય. સંજય દત્તે (Sanjay Dutt) હાલમાં તેની પ્રોડ્યુસ કરેલી ફિલ્મ 'બાબા'ના ટ્રેલર લોન્ચ વખતે મુન્નાભાઈ 3 વિશે વાત કરી હતી અને આ સમયે તેની સાથે માન્યતા દત્ત પણ હતી.

ફિલ્મ 'બાબા'ની વાત કરીએ તો આ ફિલ્મમાં દીપક ડોબરિયાલ, નંદિતા પાટકર, આર્યન મેંઘજી, ચિતરંજન ગિરી, સ્પૃહા જોશી અને અભિજીત ખાંડકેકર પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ સંજય દત્તે કર્યું છે.

(5:36 pm IST)