Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ટીવી કલાકાર મનમીત ગ્રેવાલે આત્મહત્યા કરીઃ આર્થિક તંગીથી ઝઝુમી રહ્યા હતા

સિરીયલ 'આદત સે મજબૂર'થી ઓળખ મળી હતી

મુંબઈઃ ટીવી એકટર મનમીત ગ્રેવાલે આત્મહત્યા કરી લીધી છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ડીપ્રેશનમાં હતા અને આર્થિક તંગીથી ઝઝુમી રહ્યા હતા. સબ ટીવીની સિરીયલ 'આદત સે મજબૂર'થી તેમને ઓળખ મળી હતી.

તાજેતરમાંૅ એન્ડ ટીવીની સિરીયલ 'કુલદીપક'માં તેઓ જોવા મળ્યા હતા. મનમીત ૨૯વર્ષના હતા. પત્ની સાથે નવી મુંબઈમાં ફલેટમાં રહેતા હતા. બે વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા. મુળ દિલ્હીના મનમીત છેલ્લા ૮વર્ષથી મુંબઈમાં સ્થાયી થયા હતા. તેમના માતા- પિતા પંજાબમાં રહે છે.

મનમીત છેલ્લા ઘણા સમયથી સ્ટ્રગલ કરી રહ્યો હતો. આર્થિક તંગી અને લોકડાઉનમાં શૂટીંગ પણ ઠપ્પ થવાથી ડિપ્રેશનમાં હતા.

(11:44 am IST)