Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

પોતાને ખુબ જ ભાગ્યશાળી સમજે છે અનંગ્શા વિશ્વાસ

 ડિજીટલ પ્લેટફોર્મ પર એક વર્ષ પહેલા આવેલી વેબ સિરીઝ મિર્ઝાપુરએ દર્શકો-પ્રસંશકોમાં તહેલકો માવી દીધો હતો. ત્યારથી જ ચાહકો બીજી સિઝનની રાહ જોઇને બેઠા છે. મિર્ઝાપુર-૨નું શુટીંગ પુરૂ થઇ ચુકયું છે. પોસ્ટ પ્રોડકશનનું કામ પર ખતમ થઇ ગયું છે. પરંતુ અચાનક આવી પડેલા કોરોના અને લોકડાઉનને કારણે બીજી સિઝન રિલીઝ કરવામાં વિલંબ થઇ ગયો છે. પ્રથમ  સિરીઝમાં અનંગ્શા વિશ્વાસ ઝરીનાના ખુબ મહત્વના રોલમાં હતી. તે મિર્ઝાપુર-૨માં પણ ધમાકેદાર રોલમાં જોવા મળશે. અનંગ્શાએ કહ્યું હતું કે હું બીજી સિઝન માટે ખુબ જ ઉત્સાહિત છું. અલી ફઝલને હું નાટકોમાં કામ કરતી ત્યારથી ઓળખુ છું. તે એક અદ્દભુત અભિનેતા છે, તે પ્રયોગો કરવાથી કદી ડરતો નથી. પંકજ ત્રિપાઠી ખુબ જ વિનમ્ર, સરળ અને મહેનતુ વ્યકિત છે. તેઓ હાલમાં જે સ્થાન પર છે તેનું તેને જરાપણ અભિમાન નથી. મને તેની સાથે કામ કરવા મળ્યું એ માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. તેની પાસેથી અભિનયના અનેક ગુણ શીખવા સમજવા મળ્યા છે. અનંગ્શા અગાઉ બેની ઓૈર બબલૂ અને લવ શવ તે ચિકન ખૂરાના જેવી ફિલ્મો પણ કરી ચુકી છે. હોસ્ટેજ-૨ નામની સિરીઝ પણ તે કરી રહી છે.

(9:32 am IST)