Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માન કરાશે શાહિદ કપૂરનું

મુંબઈ: દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે શાહિદ કપૂરનું નામ પણ ઉમેરાયું છે. અભિનેતાને ફિલ્મ પદમાવતના પાત્ર માટે આ સમ્માનથી નવાજ્વામાં આવશે. ફિલ્મ પદમાવતમાં શાહિદે રાજા રતન સિંહનું નાનું પણ મહત્વનું પાત્ર ભજવ્યું હતું. આ જ પાત્ર માટે તેનું નામ દાદા સાહેબ ફાલકે એવોર્ડ માટે ઘોષણા થઇ ગઇ છે. શાહિદ કપૂરને આ પુરસ્કારથી કારકિર્દીમાં ફાયદો થાય તેવી શક્યતા છે. શાહિદ કપૂર એક સારો અભિનેતા છે પરંતુ તેની ગણના ટોચના કલાકારોમાં થતી નથી. જોકે દાદા સાહેબ ફાલકે પુરસ્કાર મલવાથી શાહિદની કારકિર્દીને વેગ મળશે તેવી ચર્ચા થઇ રહી છે.

(5:48 pm IST)