Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

આદિત્ય નારાયણ પત્ની શ્વેતા સાથે કાશ્મીરના કુદરતી સૌદર્યમાં હનીમૂન મનાવવા પહોંચ્યા

આદિત્યએ લખ્યુ છે, ' અમારા હનીમુનની શરૂઆત થઇ ગઈ છે. ધરતીના સ્વર્ગ કાશ્મીરમાં, પહેલી વાર અમે ,,

મુંબઈ : જાણીતા ગાયક ઉદિત નારાયણ ના દિકરા આદિત્ય નારાયણે 1 ડીસેમ્બર ના પોતાની ગર્લ ફ્રેંડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા છે. હાલમાં તેઓ હનીમુન મનાવવા કાશ્મીરના કુદરતી સૌદર્યમાં ફરી રહ્યા છે. આદિત્યએ કાશ્મીરના બઝાર માંથી બંનેનો એક સુંદર ફોટો પોતાના સોશ્યલ એકાઉન્ટ પર મુક્યો છે. ફોટા સાથે નીચે તેણે લખ્યુ છે, ' અમારા હનીમુનની શરૂઆત થઇ ગઈ છે. ધરતીના સ્વર્ગ કાશ્મીરમાં, પહેલી વાર અમે.....'

આદિત્યએ મુકેલા ફોટામાં આદિત્યએ ગ્રે કલરનુ જાકીટ અને સન ગ્લાસ પહેર્યા છે. જયારે તેની પત્ની શ્વેતાએ ગુલાબી રંગના સ્વેટર સાથે લાલ રંગની ટોપી પહેરી છે. સોશ્યલ મીડિયા પર બંનેનો આ ફોટો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આદિત્ય અને શ્વેતા એ લગ્ન પહેલા લાંબા સમય સુધી એક બીજા સાથે સમય વિતાવ્યો હતો. બંનેની પહેલી મુલાકાત 2010 માં વિક્રમ ભટ્ટ ની 'શાપિત' ફિલ્મના સેટ પર થઇ હતી. આ ફિલ્મમાં આદિત્ય અને શ્વેતા બંને, મુખ્ય ભૂમિકામાં હતા. સેટ પર જ બંનેની મિત્રતા થઇ ગઈ હતી. ધીરે-ધીરે એક બીજાના પ્રેમમાં પડ્યા અને બંનેના ઘરના લોકો પણ તેમને પસંદ કરવા લાગ્યા. લાંબો સમય સાથે સમય વિતાવ્યા બાદ, આ વર્ષે 1 ડીસેમ્બર ના બંને પરિવાર જનોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા.

(7:06 pm IST)