Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

ઇશિતાએ શુટીંગના સેટ પર પુરો કર્યો ઘોડેસવારીનો શોખ

કલાકારો પોતાની વ્યસ્તતાને કારણે પોતાના શોખ પુરા કરવાનું ભુલી જાય છે. પરંતુ ટીવી શો વિઘ્નહર્તા ગણેશમાં મનસાદેવીનો રોલ નિભાવી રહેલી ઇશિતા ગાંગુલીએ ફરીથી પોતાનો ઘોડેસવારીનો શોખ અપનાવ્યો છે. ઇશિતા તાજેતરમાં શુટીંગના સેટ પર ઘોડેસવારી કરતી જોવા મળી હતી, તેમજ એ પછી તે ઘોડાને ચારો ખવડાવતી દેખાઇ હતી. આ ટ્રેકમાં કલાવતી સત્યનારાયણની કથા વચ્ચે છોડવાનો પશ્ચાતાપ કરે છે અને તેના કારણે સાધુ બચી જાય છે. પછી એક રાજાના રૂપમાં તેનો પુનર્જન્મ થાય છે.

ઇશિતાએ કહ્યું હતું કે ઘોડે સવારીનો શોખ હોવાથી અગાઉ તેણે ઘોડેસવારી શીખી હતી. પણ કામની વ્યસ્તતામાં સમય મળતો નહોતો. દરમિયાન સેટ પર ઘોડો હોઇ પોતે સવારી માટેનો ઉત્સાહ રોકી શકી નહોતી. તેની ઘોડેસવારીની કુશળતા જોઇ ક્રુમેમ્બર્સ અને બીજા કલાકારો પણ હેરાન થઇ ગયા હતાં. ઇશિતાને જાનવરો પ્રત્યે ખુબ પ્રેમ છે.

(9:33 am IST)