Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

અમિતાભ બચ્ચને કોલકત્તા કાર દુર્ઘટનાને કર્યો ખુલાસો: આ માત્ર અફવા છે

મુંબઈ: મહાનાયક અમિતાભ બચ્ચને કોલકત્તામાં કાર દુર્ઘટનામાં બાલ-બાલ બચ્યા હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા હતા.આ વાતને લઈને મહાનાયકે જાતે ખુલાસો કર્યો કે મને  ક્સુ પણ થયું નથી, મારી તબિયત સારી છે અને આ માત્ર એક અફવા છે.

અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખ્યું કે આ ખબર ખોટી છે, આવું કાઈ પણ થયું નથી. મને મારા શુભચિંતકો તથા મીડિયા દ્વારા જાણવા મળ્યું કે મારી કારને કોલકત્તામાં અકસ્માત નડ્યો અને તેમાં હું બાલ-બાલ બચ્યો છું. અરે ભાઈ આ વાત ખોટી છે મને ક્સુ પણ થયું નથી. હું એક દમ બરાબર છું.

 

(6:47 pm IST)