Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

લવ રંજને પોતાની આગામી ફિલ્મ માટે રણબીર કપૂરને લઈને કર્યા ફેરફાર

મુંબઇ: સમય બદલાય છે ત્યારે ઘણું બદલાઇ જાય છે એવી લોકોક્તિ છે. કમ સે કમ રણબીર કપૂરની બાબતમાં વાત સાચી પડે એમ લાગી રહ્યું હતું.તમને યાદ હશે, રણબીર કપૂર અને અજય દેવગણને ચમકાવતી એેક ફિલ્મ બનાવવાની જાહેરતા સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મના ડાયરેક્ટર લવ રંજને અઢી ત્રણેક મહિના પહેલાં કરી હતી. સમયે રણબીર અને અજય બંને કલાકારોએ મિડિયા જોડે વાત પણ કરી હતી.૨૦૧૦માં પ્રકાશ ઝાની રાજનીતિ કર્યા બાદ બંને ફરી એકવાર લવ રંજનની ફિલ્મ સાથે કરવાના હતા.પરંતુ ત્યારબાદ રાજકુમાર હીરાણીની સંજુ ફિલ્મ રજૂ થઇ અને સુપર ડુપર હિટ સાબિત થઇ. સાથે રણબીર કપૂરના વિચારોમાં પણ થોડું પરિવર્તન આવ્યું હોય એમ લાગે છે.રણબીરની ટીમ હવે માને છે કે લવ રંજને સ્ક્રીપ્ટમાં થોડા ફેરફાર કરીને રણબીરના પાત્રને વધુ મહત્ત્વ આપવું જોઇએ અને કોઇ ટોચની અભિનેત્રીને સાઇન કરવી જોઇએ. લવ રંજન બી ક્લાસની કોઇ હીરોઇનને લેવાનું વિચારતા હતા જે હવે રણબીરને સ્વીકાર્ય નથી ટીમ માને છે કે રણબીર હવે ૩૦૦ કરોડનો હીરો છે અને અજય દેવગણ પણ ૨૦૦-૨૫૦ કરોડનો હીરો છે ધ્યાનમાં રાખીને લવ રંજને પોતાની ફિલ્મનું કામકાજ આગળ વધારવું જોઇએ.

(4:10 pm IST)