Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

જેના અનેક જવાબો હોય છે તેવો પ્રશ્ન 'શું થયું?'ની ગુજરાતી ફિલ્મ 'શું થયું?'

અમદાવાદઃ એમ.ડી.મિડીયા કોર્પ અને બેલવેડર ફિલ્મની આગામી ગુજરાતી ફિલ્મમાં એક સનાતન અને વારંવાર પુછતો પ્રશ્ન 'શું થયું?'ની હાસ્યનું હુલ્લડ મચાવતી રજુઆત કરતી ગુજરાતી ફિલ્મ છે.

ચાર મિત્રોની વાત મનન, ચિરાગ, નિલ અને વિરલ. આમાનો એક મનન દિપાલી સાથે લગ્ન કરવાનો છે પણ તે મિત્રો સાથે ક્રિકેટ રમવા જાય ત્યાં માથામાં વાગતા સ્મૃતિ વિહિન બની જાય છે. તે દિપાલીને પણ ભૂલી જાય છે અને આ વાત ફકત મિત્રો જ જાણે છે. ત્યારે શું મનનમાં લગ્ન દિપાલી સાથે થશે? શું મનની સ્મૃતિઓ- યાદદાસ્તા પાછી આવશે? આપણાં જીવનમાં પણ આવા અનેક સમયે આપણે પણ બોલતાં જ હોઈએ છીએ કે 'શું થયું?'

ફિલ્મમાં ''છેલ્લા દિવસ''ની ટીમ ફરી એકવાર ચમકી રહી છે. જેમાં મલહાર ઠાકર, યશ સોની, કિંજલ રાજપ્રિયા, મિત્ર ગઢવી અને આર્જવ ત્રિવેદી જેવા જાણીતા કલાકારો ચમકી રહ્યા છે.

ફિલ્મનું નિર્માણ મહેશ દાનન્વર અને વૈશલ શાહે કર્યું છે. તો લેખક- દિગ્દર્શક કૃષ્ણ દેવ યાજ્ઞિક છે. ફિલ્મમાં ત્રણ ગીતો છે જે ભાર્ગવ પુરોહિતે લખ્યા છે. કેદાર ભાર્ગવનાં સંગીતમાં કિર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી, ભૂમિક શાહ અને શ્રધ્ધા મહેતાનો સ્વર મળ્યો છે. ફિલ્મનું શુટીંગ અમદાવાદમાં જ થયું છે. કેમેરામેન પ્રશાંત ગોહિલે એક નવા જ સુંદર અમદાવાદને પડદે ઉતાર્યું છે.

(3:42 pm IST)